જાન આપી દઈશ પણ CAA લાગુ થવા નહિં દઉં: મમતાનો કેન્દ્રને પડકાર
- 11 Apr, 2024
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકતાના રેડ રોડમાં આયોજિત ઈદની નમાઝના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે બધાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું આ ખુશીઓની ઈદ છે. આ તાકાત આપવા માટેની ઈદ છે. ઈદને એક મહીના સુધી ઉપવાસ કરીને ઉજવવી તે ઘણી મોટી વાત છે. અમે દેશ માટે લોહી વહેવડાવવા તૈયાર છીએ. જોકે દેશ અત્યાચાર સહન કરશે નહીં. સમાન નાગરિક સંહિતા સ્વીકાર્ય નથી. હું બધા ધર્મોમાં એકતા રહે તેમ ઈચ્છું છું. તમારી સુરક્ષા ઈચ્છું છું.
તેમણે બીજેપી પર આરોપ લગાવ્યો કે તે ગણી-ગણીને મુસલમાન નેતાઓને ફોન કરી રહી છે અને પૂછી રહી છે કે તેમને શું જોઈએ છે. ઈદની નમાઝને સંબોધીને મમતા બેનર્જીએ એ વાતની સ્પષ્ટતા કરી કે તે યુનિફોર્મ સિવિલ કોડ, એનઆરસી અને સીએએને લાગુ થવા દેશે નહીં.
પ્રથમ વખત મમતા બેનર્જીએ યુસીસી પર ટીએમસીની સ્થિતિ સાફ કરી છે. લોકસભા ચંટણીના વોટિંગ પહેલા તેમનું આ સ્ટેન્ડ ખૂબ જ મહત્વનું છે. તે દર્શાવે છે કે બંગાળમાં મુસ્લિમ વોટોને મજબૂત કરવાના ઉદેશ્યથી લોકસભા ચૂંટણી પહેલા જ તે યુસીસીની વિરુદ્ધ ઉભા થવા માંગે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ